Tuesday, April 15, 2014

Lyrids Meteor Shower

The April Lyrids (LYR, IAU shower number 6 ) are a meteor shower lasting from April 16 to April 26 each year. The radiant of the meteor shower is located in the constellation Lyra, near this constellation's brightest star, Alpha Lyrae (proper name Vega). Their peak is typically around April 22 each year.

The source of the meteor shower is particles of dust shed by the long-period Comet C/1861 G1 Thatcher. The April Lyrids are the strongest annual shower of meteors from debris of a long-period comet, mainly because as far as other intermediate long-period comets go (200 - 10,000 years), this one has a relatively short orbital period of about 415 years. The Lyrids have been observed for the past 2600 years.

The shower usually peaks on around April 22 and the morning of April 23. Counts typically range from 5 to 20 meteors per hour, averaging around ten. As a result of light pollution, observers in the country will see more, observers in the city fewer. Nights without a moon in the sky will reveal the most meteors. April Lyrid meteors are usually around magnitude +2. However, some meteors can be brighter, known as "Lyrid fireballs", cast shadows for a split second and leave behind smokey debris trails that last minutes.

Nishant Gor
Kutch Astronomy Club

Wednesday, July 10, 2013

Milky Way & Summer Triangle.... Photo By Club Member Nishant Gor

Milky Way & Summer Triangle.... On 05 / 05 / 2013

Constellations &/ Object's Details: Cygnus, Lyra, Aquila, Sagitta, Scutum, Serpens Cauda, Few Stars of Hercules, Etc.


Exposure Data

Camera: Canon EOS 550D
Lens:18X135 mm Canon Lance
Focal Length:18mm
F/Stop: 4.0
Exposure & Frame Details: 60 Sec X 13 Exp. + ( 10 Dark Frame )
ISO: 1600
Mode: Manual
White Balance: Auto
In-Camera Noise Reduction: No
Filter: Standard UV Filter
Mount: Single Axis EQ5 Motorized Mount
Time N Duration: 03 : 50 to 04 : 11 IST
Date: 05/05/2013 (IST)
Location: Place of Photography : MakanPar Dhosa 18 KM Far from Bhuj, Kachchh, Gujarat
Calibration: No
Processing: DSS, PS 7

Photo Credit Nishant Gor


Saturday, July 6, 2013

Program at Rotary English High School Bhuj feed back from the Students

The program about the Astronomy in Rotary English High school gone very nice. Students from 6th to 10th Standard were present. principal Ms. Gopi Trivedi took initiative and invited me in her school.

I show some slides of the photographs taken by Hubble ans showed the beautiful universe with Solar system. I also Talk about some superstitions in our society and also talked about Children science Congress. I am also Thankful to our club member Shiv Shankar Gor for introducing me in the School and by whom the program was organized 

I took the feed back from the students in a halfway of the lecture so I can continue with their questions.

What I got was amazing it was wonderful some of them is here to share with you

રોટરી ઈંગ્લિશ સ્કૂલમાં બ્રહ્માંડ દર્શનની સાથે અંધ શ્રદ્ધા નિર્મૂલન અને રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદના પ્રકલ્પ વિશે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો


રોટરી ઈંગ્લિશ સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો માટે રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ દ્વારા ખગોળ દર્શન, અંધ શ્રદ્ધા નિર્મૂલન અને ઉર્જાનું મહત્વ સમજાવતો ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળ વિજ્ઞાન પરિષદના જીલ્લા સંવાહક અને એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર "સાગર" દ્વારા આપણી પૃથ્વીનું સુર્યમાળામાં સ્થાન, સુર્યનું આકાશ ગંગામાં સ્થાન વિશે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સમજણ આપવામાં આવી હતી. અંધશ્રધાનું સ્વરૂપ, તેનો સમાજમાં વ્યાપ અને તેનાથી દૂર રહેવા વૈજ્ઞાનિક અભિગમની જરૂરિયાત શ્રી ગોરે સમજાવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક વૈશાલીબેન જાદવ દ્વારા બાળ વિજ્ઞાન પરિષદ દ્વારા ચાલુ વર્ષે એનર્જી ના મુખ્ય વિષય સાથે પ્રોજેક્ટ બનાવવા બાબતે વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું હતું 

બાળકોએ ઉત્સાહથી વિવિધ પ્રશ્નોત્તરી કરી હતી. શાળાના પ્રિન્સિપાલ ગોપીબેન એસ. ત્રિવેદીએ પરિચય આપી સન્માનિત કરી આભાર વિધિ કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન ખુશનુમા એસ. ખોજાએ કર્યું હતું. 


Some feedback and Questions from the Students




About Presentation: 

"We imagine that our Earth is so big and vast, but we are wrong there are so much planets, stars greater than this. We observe that Sun is big but Antares is larger than the Sun and it is far away form our planet.
Many Astronomers have gone to Space Station and clicked photos of our beautiful planet.
We enjoyed a lot in this presentation and learnt too. & request Narendra Sir to visit us again and give us more information about astronomy."

- Megha Trivedi 9th Standard

 "I have learned very wel first time in my life."

- Gagal Mahesh 10th Std.

"Sir told many things about space. I learnt about space. But I don't know that how did the solar system was made, how did our galaxy were made so tell every thing you tell us. Thankyou sir to give us information"

- Sudarshan Ojha Class 8th

"Our Earth is very Beautiful, But today generation harmful to the Earth by pollution, waste water etc.. Thus we have to save the Earth"

-Jyoti S. Sikarwar Std. 10th

"It was very interesting to be here learning about whole universe. It expanded my knowledge of science. Its my favorite topic in science."

- Lachhi Rabari 10th Std.

"We should care for the environment. Because life is on the Earth only in our solar system. We should grow more trees and don't cutting. and I have very enjoy that. Thank you"

- Arpita Vekariya Std. 8th

"Our Earth is so wonderful and beautiful. We are so lucky that we live on the Earth"

- Neesha B. Jat 8th Std.

"મને એ પણ ખબર પડી કે રાતના આપણી પૃથ્વી બહુ સુંદર લાગે છે!!!"

-Megha Trivedi 9th Standard 

Some queries .......
"How many Stars in the Sky?"
-Margi Makvana class 7, Het Std 6th, Vipul, Dhruvi Std. 6th, Anil, Gaurav std. 6th,


"How Light came in the Sun?"
-Deepak S Mehta 7th Class 

"What is space? What is Milky way? What is Black hole?"
-Digvijay, Malavraj,  

"How the solar system made?"
-Tanu 7th Std. 

"Why comet has tail?
When the Earth will destroy?"
-Narendra 6th Std.

"Is there life anywhere in the space?"
-Geet Std. 6th









Wednesday, July 3, 2013

Program at Rotary English High School Bhuj


રોટરી ઈંગ્લિશ સ્કૂલમાં બ્રહ્માંડ દર્શનની સાથે અંધ શ્રદ્ધા નિર્મૂલન અને રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદના પ્રકલ્પ વિશે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો


રોટરી ઈંગ્લિશ સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો માટે રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ દ્વારા ખગોળ દર્શન, અંધ શ્રદ્ધા નિર્મૂલન અને ઉર્જાનું મહત્વ સમજાવતો ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળ વિજ્ઞાન પરિષદના જીલ્લા સંવાહક અને એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર "સાગર" દ્વારા આપણી પૃથ્વીનું સુર્યમાળામાં સ્થાન, સુર્યનું આકાશ ગંગામાં સ્થાન વિશે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સમજણ આપવામાં આવી હતી. અંધશ્રધાનું સ્વરૂપ, તેનો સમાજમાં વ્યાપ અને તેનાથી દૂર રહેવા વૈજ્ઞાનિક અભિગમની જરૂરિયાત શ્રી ગોરે સમજાવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક વૈશાલીબેન જાદવ દ્વારા બાળ વિજ્ઞાન પરિષદ દ્વારા ચાલુ વર્ષે એનર્જી ના મુખ્ય વિષય સાથે પ્રોજેક્ટ બનાવવા બાબતે વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું હતું 

બાળકોએ ઉત્સાહથી વિવિધ પ્રશ્નોત્તરી કરી હતી. શાળાના પ્રિન્સિપાલ  ગોપીબેન એસ. ત્રિવેદીએ પરિચય આપી સન્માનીત કરી આભાર વિધિ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન ખુશનુમા એસ ખોજાએ કર્યું હતું.






Super Moon Report June 2013

આકાશ એકદમ સ્વચ્છ હોતાં ખુબજ પ્રકાશિત ચન્દ્ર આંખોને આંજી નાખે તેવો પ્રકાશિત દેખાતો હતો 
લોકોએ કુતુહલથી તેમજ કંઈક જાણવાના આશયથી કુદરતી ઘટનાને માણી હતી
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ તરફ્થી નરેન્દ્ર ગોર નો સુપરમુન વિશે વાર્તાલાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાર બાદ સુપરમુન (વિરાટ ચન્દ્ર) ના દ્રશ્યો કેમેરામાં કંડારવામાં આવ્યા હતા.
ભુજ ના હિલ ગાર્ડન તેમજ ત્રિમુર્તિ મંદિર ખાતેથી ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

માર્ગદર્શન રાહુલ ઝોટા અને નિશાંત ગોર દ્વારા આપવામાં આવ્યું હતું 

વિજય વ્યાસ, કુલદિપ સુથાર હાર્દિક ભાટિયા, કિશોરભાઈ ચૌહાણ વિ. એ આયોજન સંભાળેલ હતું

ફોટો બાય નિશાંત ગોર




Sunday, June 23, 2013

Super Moon 23 June 2013

સુપર મુન (વિરાટ ચન્દ્ર)                  
લેખક : નરેન્દ્ર ગોર “સાગર” પ્રમુખ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ભુજ ફોન ૯૪૨૮૨૨૦૪૭૨  

આગામી તા. 23મી જુનના રોજ સુપર મુન (વિરાટ ચન્દ્ર) ની ઘટના બનવાની છે ૨૦૧૩ના વર્ષમાં ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે. જે બાબતે લોકોમાં કેટલીક શંકા, ઉત્કંઠા તથા જીજ્ઞાસા છે પ્રસ્તુત લેખમાં પ્રશ્નો અને તેના જવાબ દ્વારા ઘટનાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
સુપર મુન એટલે શું?
ચન્દ્ર પૃથ્વીની આસપાસ દિર્ઘ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. આથી ચન્દ્ર અને પૃથી વચ્ચેનું અંતર હમેશાં એક સરખું રહેતું નથી. ચન્દ્ર પૃથ્વીની નજીક આવે તેને ખગોળની ભાષામાં પેરિજી (નીચ બિંદુ)  કહેવાય છે અને  જ્યારે તે સૌથી દૂરના બિંદુએ હોય ત્યારે તેને એપિજી (ઉચ્ચ બિંદુ)  કહેવામાં આવે છે. ચન્દ્ર 27.3 દિવસમાં પૃથ્વીની પરિક્રમા પુરી કરતો હોઈ દર માસે એક વખત પૃથ્વીની નજીક અને દૂર આવતો હોય છે. જ્યારે કોઈ પદાર્થ આપણી આંખની નજીકના અંતરે હોય ત્યારે તેનું કદ મોટું જણાય છે અને જો તે દૂર હોય તો તેનું કદ નાનું દેખય છે. ચન્દ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય તે દિવસે જો પૂનમ હોય તો અન્ય પૂનમના દિવસોએ દેખાતા ચન્દ્ર કરતાં તેનું કદ મોટું દેખાય છે. આ ઘટનાને સુપર મુનની ઘટના કહેવાય છે. અન્ય કોઈ દિવસોએ ચન્દ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે પણ તેનું કદ મોટું દેખાય તે વખતે આપણું ધ્યાન જતું નથી. ચંદ્રનું કદ કેટલું મોટું દેખાશે તેનો આધાર ચન્દ્ર પૃથ્વીથી કેટલો નજીક આવ્યો છે તેના ઉપર રહેલો છે. ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 3,84,400 કિ,મી, છે. 23મી જુનના રોજ ચન્દ્ર પૃથ્વીથી 3,56,991 કિ.મી. હશે જે સામાન્ય અંતર કરતાં 27,409 કિ,મી, જેટલું નજીક હશે.
સુપર મુનની ઘટના કેવી રીતે નિહાળી શકાય? એ જોવાથી આંખને નુકશાન થાય ખરૂં?

સુપર મુનની ઘટનાને નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય તેના ઉદય અને અસ્તની આસપાસનો સમય છે. પૃથ્વી પરના પદાર્થો જેવા કે ઝાડ, ડુંગર, મકાનો, નદી, સમુદ્રની પૃષ્ઠભૂમિમાં ચન્દ્રને નિહાળવો એ લહાવો હોય છે. એટલે 23 તારીખે સાંજે સુર્યાસ્ત બાદ કે તા. 24ના સુર્યોદય પહેલાનો એક કે બે કલાકનો સમય ચન્દ્ર નિરિક્ષણ માટે ઉપયુક્ત સમય ગણી શકાય. સુપર મુનની ઘટના સાથે એક બીજી રસપ્રદ બાબતનો અનુભવ પણ લેવા જેવો છે. દૃષ્ટિભ્રમને કારણે ઉદય થતા કે અસ્ત થતા સુર્ય ચન્દ્ર આપણને તે હોય છે એના કરતાં મોટા કદના દેખાય છે. સુપર મુન વખતે ચન્દ્રનું કદ તો મોટું હશે જ તેની સાથે દૃષ્ટિભ્રમ મળતાં તે ઓર મોટો દેખાશે!!! નરી આંખે સુપરમુનને નિહાળવાથી આંખને કોઈ નુકશાન થતું નથી જેથી એની ચિંતા કરવી નહીં પરંતુ દુરબીન કે ટેલિસ્કોપથી પુનમનો ચન્દ્ર જોતા હોઈએ ત્યારે વધુ સમય એકીટશે ન જોતાં થોડી થોડી વારે આંખોને વિશ્રામ આપવો જોઈએ અથવા યોગ્ય ફિલ્ટર લગાવવા જોઈએ. 23મી જુન ના રોજ સાંજે 05-02 કલાકે પુનમ થાય છે જ્યારે સુપરમુનની ઘટના  05-24 કલાકે બનશે. આથી સાંજના સમયે ચન્દ્રનો ઉદય થાય તે સમય નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સાથે આપેલ કોઠામાં ગુજરાત ના વિવિધ સ્થળોના સુર્યાસ્ત અને ચન્દ્રોદયના સમય આપવામાં આવ્યા છે જે અનુસાર વાદળોનું વિજ્ઞ ન નડે તો સુપરમુનની ઘટના સારી રીતે નિહાળી શકાશે.

સુપરમુનને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બને ખરી? દરિયામાં સુનામી કે વધુ ભરતી ઓટની શક્યતા ખરી?
સુપર મુન સમયે સુર્ય, પૃથ્વી અને ચન્દ્ર સીધી લીટીમાં આવતા હોવાથી તથા ચન્દ્ર પૃથ્વીની ખુબ નજીક હોવાથી દરિયામાં આવતી ભરતીનું પ્રમાણ થોડું વધારે હશે. સામાન્ય રીતે પુનમ-અમાસના આવતી મોટી ભરતી કરતાં તેનું પ્રમાણ સાધારણ વધારે હશે. ભારતમાં હાલે વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે દરિયાકાંઠાના પ્રદેશોમાં સુપર મુનના દિવસે પૂર જેવી પરિસ્થિતિ હોય અને તે વખતે જો મોટી ભરતી આવે તો નુકશાનની શક્યતા વધી જાય ખરી. સદર બાબતે સત્તાવાળાઓએ સાવચેતીના આગોતરા પગલાં ભરવા જોઈએ. આ જોખમ સુપર મુનના કારણે નહીં પણ મોટી ભરતી તથા અતિવૃષ્ટિ કે પૂરના પરિબળો એક સાથે બનતાં આ જોખમ ઉભું થાય છે. પરંતુ રાહતની બાબત એ છે કે સુપરમુનની ઘટના સાંજે 05-22 કલાકે બનશે જ્યારે ભરતીનો સમય બાર વાગ્યાની આસપાસનો હોવાથી જોખમ ઘટી જવા પામશે. આ સિવાય બીજી કોઈ અસર કે નુકશાન સુપરમુનના કારણે થતું નથી. આગાહીકારોની ભયજનક આગાહી કે કોઈ વ્યક્તિ વિશેષ માટે કરવામાં આવતા વરતારા ઉપર ધ્યાન આપ્યા વગર ખગોળીય ઘટનાનો આનંદ લેવો જોઈએ. તા. 23મી જુનના રોજ ચન્દ્ર પૃથ્વીથી 3,56,991 કિ,મી. દૂર હશે જ્યારે તેના બે અઠવાડિયા બાદ એટલેકે  7મી જુલાઈના ચન્દ્ર સૌથી દૂરના બિંદુએ હશે જ્યાંથી પૃથ્વીનું અંતર 4,06,490 કિ,મી, હશે. સામાન્ય રીતે દર માસે એક વખત ચન્દ્ર પૃથ્વીની નજીક તેમજ દુર આવતો હોય છે પરંતુ ચન્દ્રમાનું નજીક આવવું અને તે સમયે પુનમનું હોવુ એ એક સંયોગ હોઈ લોકોનું ધ્યાન વિશેષ પણે ખેંચાય છે. જેથી કોઈ અફવા ઉપર ધ્યાન આપ્યા વગર આ ઘટનાને માણવી જોઈએ.
હવે પછી આવી ઘટના ક્યારે બનશે?
હવે પછી 10મી ઓગષ્ટ 2014ના રોજ સુપરમુનની ઘટના બનશે જે દરમિયાન ચન્દ્ર 23મી જુન કરતાં ફક્ત 5 કિ.મી. જેટલો નજીક હશે. સામાન્ય રીતે બે સુપર મુનની વચ્ચે 1 વર્ષ 1 માસ 18 દિવસ જેટલું અંતર હોય છે. આ સાથે આપેલા કોઠામાં વર્ષ 2011થી 2016ની વિગત આપેલ છે જે જોતાં જણાશે કે દર વખતે ચન્દ્રનું અંતર અલગ અલગ છે. ચન્દ્ર ઉપર પૃથ્વી સિવાય સુર્ય તેમજ અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળનો પણ પ્રભાવ વર્તાતો હોવાના કારણે આવું બને છે. ઈ.સ. 1500થી 2500ના 1000 વર્ષ દરમિયાન 1 જાન્યુઆરી 2157ના દિવસે ચન્દ્ર પૃથ્વીથી 3,56,371 કિ,મી, ના અંતરે હશે જે 1000 વર્ષમાં સૌથી ઓછું અંતર હશે.
આ ઘટનાનું મહત્વ શું ?
આ ઘટના સામાન્ય જનો માટે કુતુહલનો વિષય છે. જ્યારે ખગોળ રસિકો માટે ચન્દ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ટેલિસ્કોપ ઉપર મુન ફિલ્ટર લગાવી ચન્દ્રના ખાડા (ક્રેટર), પહાડો, મારિયા નું અવલોકન સારી રીતે કરી શકાય છે. તો એસ્ટ્રો ફોટોગ્રાફીના શોખીનો માટે પણ સુંદર દ્રશ્યો કચકડે કંડારવાની સુવર્ણ તક ગણી શકાય.
સુપર મુન નિહાળવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી?
સામાન્ય રીતે સ્થાનિક એસ્ટ્રોનોમી ક્લબ તરફથી આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વખતે વરસાદી માહોલ હોઈ આપની આસપાસ આવેલ એસ્ટ્રોનોમી ક્લબ, લોક વિજ્ઞાન કેન્દ્ર વિ. નો સંપર્ક સાધી આ ઘટના ને માણી શકાય તેમજ તેના વિશે વધુ જાણકારી મેળવી શકાય. એવું જો શક્ય ના બને તો ચન્દ્ર દર્શન માટે વિશેષ કોઈ સાવધાનીની આવશ્યક્તા ન હોઈ ખગોળીય ઘટનાનો જાતે પણ આનંદ મેળવી અન્યોને પણ ભાગીદાર બનાવી શકાય. અગાઉ જણાવ્યું તેમ દુરબીન કે ટેલિસ્કોપથી જોતી વખતે લાંબો સમય ચન્દ્રને નિહાળવો નહીં. વધુ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ભુજ કચ્છ  નો ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક સાધી શકાય છે.

Wednesday, April 24, 2013

Partial Lunar Eclipse 24th April 2013


૨૫-૨૬  એપ્રીલનું ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ

૨૫-૨૬  એપ્રીલના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણે લોકોમાં અંનેરી ઉત્કંઠા જગાવી છે. કેટલાક શ્રધાળુઓ માટે આ ગ્રહણ પાળવું કે કેમ તે પ્રશ્ન લઈને આવ્યો છે જ્યારે ખગોળ શોખીનો ૨૧મી સદીના બીજા સૌથી ટુંકા ગ્રહણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણને અંગુલાલ્પ ગ્રહણ પણ કહે છે

અવકાશમાં ફરતી પૃથ્વી ની બે છાયા હોય છે 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી  તે પૈકી આછી છાયા સમગ્ર ચન્દ્ર ઉપર પડશે જ્યારે ઘેરી છાયા ચન્દ્રના ખુબ ઓછા વિસ્તારમાંથી પસાર થશે જેથીચન્દ્ર નો ખુબ ઓછો ભાગ ગ્રસિત થશે. આમ આંગળી કરતાં પણ ઓછો ભાગ ગ્રસિત થતો હોવાથી તેને અંગુલાલ્પ ગ્રહણ કહેવામાં આવે છે.
કેટલાક શ્રધાળુઓ તેમજ મંદિર સાથે સંકળાયેલા લોકો આ ગ્રહણ પાળવું કે કેમ તેવા પ્રશ્નો કરતા હોય છે તેમને માટે શાસ્ત્ર આધારિત માહિતી આપતાં કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોર “સાગર” જણાવે છે કે
ગ્રહ લાઘવ ગ્રંથ અનુસાર “ ગ્રાસોનાદ્રેશ્ય અંગુલાલ્પો રવિન્દ્રોઃ ” એટલેકે સૂર્ય અને ચન્દ્રનું ગ્રહણ જો અંગુલાલ્પ થાય તો ગ્રહણ સમયે પાળવાના થતા વેધાદિ નિયમો પાળવાના થતા નથી.
સિધ્ધાંત શિરોમણી અનુસાર ચન્દ્રના ષોડશાંશ ભાગ કરતાં ઓછા ભાગને ગ્રહણ લાગે તો તે ગ્રહણ અંગુલાલ્પ હોવાથી ધાર્મિક કૃત્યો માટે માનવું નહીં.
ધર્મ સિન્ધુમાં જણાવ્યા અનુસાર અંગુલાલ્પ ગ્રહણ અગ્રાહ્ય હોય છે એટલેકે દેખાય નહીં તેવું હોવાથી વેધ આદિ નિયમો પાળવા નહીં
આમ આ ગ્રહણ વખતે કરવાના થતા ધાર્મિક વિધિ વિધાન જેવાકે સ્નાન, દાન, વગેરે કૃત્યો કરવાના થતા નથી
ચન્દ્ર ગ્રહણ ની ખગોળીય માહિતી આ મુજબ છે. જેમાં દર્શાવેલ  સમય ભારતિય સમય 25 તથા 26 એપ્રિલનો છે..
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાં પ્રવેશઃ 23-33
ચન્દ્રનો પૃથ્વીની ઘેરી છાયામાં પ્રવેશ ગ્રહણ સ્પર્શઃ  01-24 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો પ્રારંભ)
ગ્રહણ મધ્યઃ 01-37 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો મધ્ય)
ગ્રહણ મોક્ષઃ 01-54 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો અંત)
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાંથી બહિર્ગમનઃ 03-41
આમ ભુજમાં તથા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈ સહિત ભારતમાં તમામ સ્થળે રાત્રીના અગીયાર વાગીને તેત્રીસ મિનિટથી પરોઢના ત્રણ કલાક એકતાળીસ મિનિટ સુધી ગ્રહણની ઘટના બનશે જે દરમિયાન મધ્ય રાત્રી બાદ 01-24 થી 01-51 દરમિયાન ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણની ઘટના નિહાળી શકાશે. આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે તેમજ ખંડગ્રાસની 27 મિનિટ દરમિયાન ચંદ્રનો ઉપરનો ભાગ સહેજ કાળો જણાશે. આ ખંડગ્રાસ 21મી સદીનું બીજું સૌથી ટુંકા સમયનું ગ્રહણ છે કેમકે તે ફક્ત 27 મિનિટ સુધી જ ચાલશે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૪૨ ના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ ફક્ત ૧૨ મિનિટનું હશે. જે આ સદીનું સૌથી ટુંકું ગ્રહણ હશે. આ ગ્રહણ પૂર્વ યુરોપ, આફ્રિકા, મધ્ય એશિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ પણે દેખાશે

ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે
-ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય.
-ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય
-ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય
-ગ્રહણ ના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરી શકાય.

તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ

Tuesday, April 9, 2013

Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj





Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj
Date: 04 May ~ 2013 Saturday
Time: 6:30 PM 04th May ~ 2013 to 7 : 30 AM 05th May ~ 2013

Conformation is Must Before 30 ~ 04 ~ 2013

Details will Soon Updated
For More Contact On Narendra Gor +91 9428220472, +91 9033744673 Nishant Gor +91 9879554770

All interested are invited

For More Updates & What's Going on Click Here

Kutch Amateur Astronomers' Cluib FB Page




Wednesday, March 13, 2013

Comet Panstarrs seen from the sky of Kutch



કચ્છના આકાશમાં પેનસ્ટારસ ધૂમકેતુ દેખાતાં ખગોળ શોખીનો રોમાંચિત
ઘણા દિવસની જહેમત બાદ પેનસ્ટારસ ધૂમકેતુ કચ્છના આકાશમાં દેખાયો
Bhuj 
Comet Panstarrs seen from the sky of Kutch  
Report: Narendra Gor
Photo By nishant Gor

ખગોળ શોખીનો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે પેનસ્ટારસ (PANSTARRS) નામનો ધુમકેતુ આજે પ્રથમ વખત કચ્છ ના આકાશમાં જોવા મળ્યો હતો. માર્ચની ત્રીજી તારીખથી ઉત્તર ગોળાર્ધના ખગોળ શોખીનો તેને જોવા માટે પ્રયત્ન રત્ત હતા. પણ સફળતા મળતી ન હતી, છેલ્લે ગઈ કાલે જામનગર અને પૂના ખાતે આ ધુમકેતુ દેખાયો હતો ત્યારે ભુજના ખગોળ શોખીન નિશાંત ગોરે આ ધુમકેતુ ને પ્રથમ દૂરબીનથી અને ત્યાર બાદ નરી આંખે અને અંતે કેમેરામાં પણ ઝડપી લીધો હતો.

આ બાબતે જાણીતા ખગોળવિદ નરેન્દ્ર ગોર “સાગર” વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સૂર્યાસ્ત બાદ ફક્ત અડધા કલાકની આસપાસ દેખાતા આ ધૂમકેતુને સંધ્યાના પ્રકાશમાં શોધવો એક પડકાર ભર્યું કામ હતું. દિવસોની મથામણ બાદ તેનું સ્થાન શોધી કાઢવા બદલ નિશાંત ગોરને ભારતભરના ખગોળ શોખીનોએ અભિનંદન પાઠવ્યા છે. સી – ૨૦૧૧ – ૧૪ નામ ધરાવતો આ ધૂમકેતુ જુન ૨૦૧૧ના પેનોરેમીક સર્વે ટેલીસ્કોપ એન્ડ પેનારેમીક સર્વે રિસ્પોન્સ સિસ્ટમ (પેનસ્ટારસ (PANSTARRS) ) દ્વારા શોધી કાઢવામાં આવેલ હતો. ૫ – માર્ચ – ૨૦૧૩ના રોજ તે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો.

હવે પછી આ ધૂમકેતુ ૨૦ – માર્ચ – ૨૦૧૩ સુધી સામાન્ય દૂરબીનની મદદથી સૂર્યાસ્ત બાદ ચાલીસ મિનિટ સુધી પશ્ચીમ દિશામાં જોઈ શકાશે. આ બાબતે વધુ માહિતી માટે નરેન્દ્ર ગોર બાલાજી હોબી સેન્ટર ૯૪૨૮૨૨૦૪૭૨ નો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. ( ખાસ સૂચના :- દૂરબીનથી સૂર્ય તરફ જોવું નહીં સુર્ય તરફ જોવાથી કાયમી અંધાપો આવી શકે છે.)

ફોટો બાય નિશાંત ગોર

Friday, December 7, 2012

Geminids Meteor Shower

You Can read the report in English at

-મિથુન ઉલ્કા વર્ષા આ વખતે રંગ જમાવશે....
-કલાકની 50 થી વધુ ઉલ્કાઓ ખરવાની વૈજ્ઞાનિકોની આગાહી
-કચ્છનું અંધારૂં આકાશ ભારતના ખગોળ રસિકોને પણ ઘેલું લગાડી / આકર્ષી / રહ્યું છે.

ભુજ: ખગોળ રસિકોમાં સૌથી માનિતી મિથુન ઉલ્કા વર્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દર વરસે ૭ ડીસેંબર થી ૧૭ ડીસેંબર સુધી ચાલતી ઉલ્કા વર્ષા તા. ૧૨ અને ૧૩મી ડીસેંબરે ચરમ સીમાએ પહોંચશે. આમ ખગોળ રસિકો સાતમી તારીખ  થી જ ઉલ્કાઓનું નિરિક્ષણ અને નોંધ કરવા સજ્જ બની ગયા છે. ત્યારે સામાન્ય પ્રજાજનો તા. 12 ની રાત અને 13મી ની રાત ના રોજ આ નઝારો સારી રીતે માણી શકશે એવું જાણવા મળ્યું છે. આ બાબતે માહિતિ આપતાં કચ્છના જાણીતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર "સાગર" જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા માટે શહેરથી દૂર અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. 13મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની ગેરહાજરી ને કારણે વધારે ઉલ્કાઓ રાત્રે ૧ થી ૩ વાગ્યા વચ્ચે જોવા મળશે. 

છેલ્લા સમાચાર મુજબ તા. 13મી ની રાત્રીએ સૌથી વધારે ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા છે.
બીજી મહત્વની વાત એ છે ઉલ્કાવર્ષાની ચરમ સીમા સમાપ્ત થયા બાદ કેટલાક સુંદર ફાયર બોલ પણ તારીખ ૧૪ અને ૧૫ ડીસે. ના જોવા મળી શકે છે. 

આ ઉલ્કાઓનું કેન્દ્ર મિથુન રાશીમાં આવેલું હોવાથી તેને મિથુન ઉલ્કા વર્ષાના નામે ઓળખવામાં આવે છે. મિથુન રાશીના પુરૂષ અને પ્રકૃતિ પૈકીના પ્રકૃતિ નામના તારા પાસે આ વર્ષાનું કેન્દ્ર આવેલું છે. જ્યારે મિથુન રાશી આકાશમાં મધ્ય ભાગે હોય ત્યારે એટલે કે મધ્ય રાત્રીના એક થી ત્રણ વચ્ચે સૌથી વધુ એટલે કે કલાકની 50 જેટલી ઉલ્કા નિહાળવા મળશે. બીજી ઉલ્કાઓના પ્રમાણમાં તેની ગતી ધીમી હોવાથી તેને જોવામાં સરળતા રહે છે. આ ઉલ્કાની ગતી સેકંડના 35 કિ.મી. થી વધુ એટલેકે કલાકના ૧,૨૬,૦૦૦ કિ.મી. ની હોય છે !!! મિથુનની ઉલ્કાઓ પીળાશ જેવા રંગની હોવાથી આકાશને રંગીન બનાવી દે છે. 

આ બાબતે વધુ માહિતી આપતાં શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે જ્યાં લાઈટો નહીંવત્ત હોય તેવી જગ્યા ઉલ્કા નિરિક્ષણ માટે પસંદ કરવી જોઈએ. જે લોકો શહેરમાંથી નિરિક્ષણ કરતા હોય તેમણે જ્યાં ઓછો પ્રકાશ આવતો હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. આકાશમાં કોઈ એક જ સ્થળે નહીં પણ ઉલ્કાઓ ચારે બાજુ જોવા મળશે આથી આકાશમાં જે ભાગમાં વધુ અંધારૂં જણાતું હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણી આંખ ને અંધારાથી ટેવાતાં દશ થી વીશ મિનિટ જેવો સમય લાગે છે જે ધ્યાને લઈ ધીરજથી નિરિક્ષણ કરવાથી વધુ સારી રીતે અવલોકન કરી શકાય છે. ઉલ્કાના નિરિક્ષણ માટે કોઈ ખાસ પ્રકારના સાધન જેવાંકે દૂરબીન કે ટેલિસ્કોપની આવશ્યક્તા નથી. નાના બાળકોએ વડિલ વ્યક્તિની દેખરેખમાં નિરિક્ષણ કરવું જોઈએ. ઠંડીની ઋતુ હોઈ ઉલ્કા નિરિક્ષકે યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે. ખુલ્લી જગ્યાએ નીચે બેસવા કરતાં આરામ ખુરસી વધુ સલાહ ભરી કહી શકાય. ઘરના ધાબાં ઉપર બીછાના ઉપર સુઈને પણ નિરિક્ષણ કરી શકાય.

મિથુન ઉલ્કા વર્ષા 3200 ફાયેથન નામના અવકાશી પિંડ ના કારણે ઉદ્ભવી છે. અને છેલ્લા ૧૫૦ વર્ષથી નિયમીત રૂપે જોવા મળે છે.

કચ્છ્માં રણોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અવકાશ નિરિક્ષકો પણ કચ્છના અંધાર ઘેરા આકાશના દર્શન કરવા ખેંચાઈ રહ્યા છે. ૨૦૧૨ ના વર્ષના વિદાય થતા મહિનામાં કુદરતની આતશબાજી નિહાળવા રસ ધરાવતા લોકો તેમના મિત્રો, જાણકારો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે કચ્છના પ્રવાસ ક્ષેત્રી નવી બારી ખુલ્લી રહ્યાનાં સંકેત મળી રહ્યા છે. 

આ બાબતે વધુ માહિતિ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર,
બાલાજી હોબી સેંટર સંધ્યા એપાર્ટમેંટ, 
જીલ્લા પંચાયત સામે 
ફોન ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવવામાં આવે છે.

Wednesday, November 28, 2012

Lunar Eclipse 28 Nov


આજે ચન્દ્ર ગ્રહણ : : 
દેખાશે નહી દેખાય ની ભ્રમણામા લોકો: 
ખગોળ શોખીનો પણ દ્વિધામાં ?
આ ગ્રહણ ને માંદ્ય ગ્રહણ અથવા છાયા ગ્રહણ પણ કહે છે.
પૃથ્વી ની બે છાયા પૈકી આછી છાયા (બે છાયા 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી) ચન્દ્ર ઉપર પડશે જેથી નરી આંખે ગ્રહણની અનુભૂતિ થશે નહીં

ગ્રહણ ની ટેક્નીકલ ડીટેઈલ આ મુજબ છે.
ગ્રહણ સ્પર્શ સમય :  17-45 
ગ્રહણ મધ્ય : 20-02
ગ્રહણ મોક્ષ  : 22-21

ભુજ કચ્છ માં ચન્દ્ર નો ઉદય : 17.59 
ભુજ માં સૂર્યનો અસ્ત : 18-04

આમ ભુજમાં તથા કચ્છ ગુજરાતમાં સૂર્યાસ્ત બાદ એટલેકે સાંજે  છ વાગ્યા બાદથી રાત્રીના દશ કલાક  ને 22 મીનિટ સુધી છાયા ગ્રહણ ની ઘટના બનશે 

આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે અન્ય ચન્દ્ર ગ્રહણની જેમ કપાયેલો ચન્દ્ર જોવા મળશે નહીં
સાંજના સમયે ચન્દ્ર પુર્વ દિશામાં ઉદિત થતો હોવાથી થોડો લાલાશ પડતો દેખાશે 
ચન્દ્ર જ્યારે ઉદિત થતો હ્શે ત્યારે ગ્રહણ શરૂ થઈ ગયું હશે 
ગ્રહણ વખતે ચન્દ્ર વૃષભ રાશીમાં તથા રોહિણી નક્ષત્ર માં હોવાથી ચન્દ્ર ની બાજુમાં રોહિણીનો લાલ તારો પણ જોઈ શકાશે
ગ્રહણ સમયે ગુરૂ પણ વૃષભ રાશીમાં વક્રી હોવાથી ગુરૂ ચન્દ્રની યુતિ નું દ્રશ્ય નયન રમ્ય હશે. ચન્દ્રની બાજુમાં વધુ ચળકતો પદાર્થ ગુરૂ ગ્રહ હશે. 
ટેલિસ્કોપથી ગુરૂના ચારે ચન્દ્રો ખુબ સારી રીતે નિહાળી શકાશે. આઈયો નામનો ચન્દ્ર તો ગુરૂ ગ્રહની બિલકુલ અડીને જોવા મળશે.
ગ્રહણ એ એક ખગોળીય ઘટના હોઈ કાલ્પનિક ભય થી દોરવાયા વગર તેને માણવા અપીલ કરવામાં આવે છે. 

ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે 
ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય. 

ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય

ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય 

તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ 

--
Narendra Gor

Thursday, September 27, 2012

The Experiment Of Earth Measurement was done by KAAC Bhuj

The Experiment Of Earth Measurement was done by KAAC Bhuj in Two School, 1. hiten Dholakiya Vidhyalay, 2. Umarbai Enchorwala Vidhyalay
72 Students took part in Four Group
The 4th Group - MITHUN- Group was very near to real Circumference. This Group Measured 39452 Km.!!!

- કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજમાં પૃથ્વિના પરિઘ માપવાનો પ્રયોગ કરવામાં આવ્યો
- ભુજના વિદ્યાર્થીઓએ લાકડીની મદદથી પૃથ્વિનો પરિઘ માપવાનો પ્રયોગ કર્યો
- વિષુવદિને વિશ્વના દેશોની સાથે કચ્છના વિદ્યાર્થીઓએ વિવિધ ખગોળિય પ્રયોગો કર્યા
- ભુજના વિદ્યાર્થીઓએ છાયાની મદદથી અક્ષાંસ, રેખાંશ અને પૃથવિની ત્રિજ્યા માપી.

કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજમાં ૨૨ સપ્ટેમ્બર ના રોજ વિષુવ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ દિને ભારત તેમજ વિશ્વના અન્ય દેશોની સાથે ભુજની હિતેન ધોળકિયા વિધ્યાલય તથા કચ્છ યુવક સંઘ સંચલિત એંકરવાલા વિધ્યાલય ખાતે બાળકોએ નાની લાકડીની મદદથી ભુજના અક્ષાંશ, રેખાંશ અને પૃથ્વિનો પરિઘ તેમજ ત્રિજ્યા પાપ્યા હતા. શરૂઆતમાં ક્લબના પ્રમુખ તથા અર્થ એક્ષપેરિમેંટ ના ગુજરાત રાજ્યના સંયોજક શ્રી નરેન્દ્ર ગોર દ્વારા વિદ્યાર્થીઓને વિષુવ દિનનું મહત્વ, પૃથ્વિ ઉપરના અક્ષાંસ, રેખાંશ અને વિવિધ સમયે અને સ્થળોએ દિવસ અને રાતના સમયમાં થતા ફેરફાર પૃથ્વિના ગોળાની મદદથી સમજાવ્યા હતા. આજથી લગભગ બાવીસસો વર્ષ પહેલાં ઈરેટોસ્થનિસ નામના વિજ્ઞાનિક દ્વારા અપનાવાયેલી પૃથ્વિના પરિઘ માપનની પદ્ધતિ પ્રમાણે ભારતમાં ૨૨ સ્થળોએ તથા આર્જેંટિના, મોરોક્કો, રોમાનિયા, સર્બિયા, તથા અમેરીકામાં પણ આ પ્રયોગ કરવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બરના દિવસે સૂર્ય બરોબર વિષુવવૃત ઉપર હોય છે. આથી આ દિવસે દુનિયામાં કોઇ પણ સ્થળથી વિષુવ સ્થળનું સીધી લીટીનું અંતર જાણી પૃથ્વિનો પરિઘ માપી શકાય છે. ભુજ ખાતે વિદ્યાર્થીઓ ના કુલ્લ ચાર જુથ પાડી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં હિતેન ધોળકિયા વિદ્યાલયના મિથુન જુથે ફક્ત એક પ્રતિશત એરર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ જુથે ૪૦૦૦૦ કિ.મી. ના પરિઘ સામે ૩૯૪૫૨ કિ.મી. નો પૃથિનો પરિઘ માપ્યો હતો. તથા આ પ્રયોગના સંયોજક ફ્રાંસના એરિક વૈસીએ ખાસ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. હિતેન ધોળકિયા વિદ્યાલયના આચાર્યશ્રી ગજરાભાઈ, એંકરવાલા શાળાના પ્રધાનાચાર્ય હેતલબેન રાણા તથા શિક્ષકો શાંતિલાલ મોતા, અશોકભાઈ પરમાર, દિપક રાઠોડ અને કૃપાબેન ત્રિવેદીએ માર્ગદર્શક તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રયોગ વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે કોઈ શાળા/ કોલેજ  કે જુથને સમેલ થવું હોય તો ક્લબનો સંપર્ક કરવા યાદીમાં જાણાવવામાં આવે છે.

ફોટો સામેલ છે

વધુ વિગતો માટે નીચેની લિંક પણ જોઈ શકો છો 














Monday, September 24, 2012

International peace Day celebrated by Side Walk Astronomy


International peace Day celebrated by Side Walk Astronomy Showing Moon with 6 inch Telescope at BHUJ INDIA
The Star Party and Side Walk Astronomy was done at the Religious Function So more people can join
As Moon Set early less people join this program
More than 70 people participated and watched Moon
particularly children were very enthusiastic.
They saw moon first time in their life
Surprisingly children fetched  their parents and friends from their Home to join the event
Mr.Rahul Zota, Mr. Kuldip Suthar, Mrs.Rasila,Miss Bindiya were helping hands
Mr. Narendra Gor understand the people about the history of Star peace and told that this time pelople from Pakistan,  Iran, Nepal, Shrilanka are also watching the sky and promoting peace among each other
People like the idea and shaw their willingness for the peace
the children asked many questions about Moon, stars  they ask to come tomorrow also.
Among 70 people there were 50 students
nearby a religious function was going on
people were coming for prayer but children were our ambassador they tell their parents to come and watch
As Moon set around 10pm we had no other way than stop as light polution was there
but we continue to talk about the heavenly bodies and importance of the peace in the world
photos are attached here with
thanking all








Friday, August 3, 2012

Mars Like Rock found in Kutch Gujarat


 Visited to day a site near Mata no madh in Lakhpat Taluka of Kutch You can see the radish 

land formation like Mars. We went there to visit and inspect after reading the press report 

about Mars like rocks found from Kutch Gujarat





Wednesday, June 27, 2012

Mars Rover Curiosity




Mars Rover Curiosity  courtesy : http://space.about.com/

The Most Advanced Mars Exploration Vehicle Yet
The Mars rovers Spirit and Opportunity left Earth for the red planet in July of 2003. An incredible achievement, these robots scoured the surface of our neighboring planet and sent back to us amazing images and data about the martian surface.

Now, little more than eight years later and NASA has sent a new, more high tech rover to once again change our understanding of the planet that has captured the imagination of our civilization for hundreds of years.

Looking at an image of NASA's new rover, dubbed Curiosity, it looks of similar design to the now defunct Spirit and Opportunity twins. But looks can be deceiving.
While its predecessors were no lightweights, standing some 4.5 feet high, with similar proportions of length and width, Curiosity is must larger.
Closer in size to a large pick-up truck, the new rover is roughly twice as long and five times as heavy.
The reason for the added bulk is all the new instruments that have been added to the new explorer. There are ten scientific instruments aboard this behemoth; with a mass 15 times greater than the previous missions all told.
And it is these new instruments that will not only allow Curiosity to operate more efficiently, but also begin to search and analyze the surface (and what's beneath it) in ways that we've never been able to before.
According to NASA, Curiosity "will use a drill and scoop at the end of its robotic arm to gather soil and powdered samples of rock interiors, then sieve and parcel out these samples into analytical laboratory instruments inside the rover."
Among the new instruments is a laser-firing instrument with the capability to determine the composition of rocks and other solid objects, even from a distance.

What We Hope to Learn

The primary scientific goal of Curiosity is to attempt to establish whether the red planet is, or ever was, habitable.
The new instruments that Curiosity will carry along with it will allow scientists to characterize the environment and atmosphere (what little there is) of Mars.
NASA's long term goal is to send a human expedition to Mars, but they can not take that step until they know more about the surface of the planet, as well as what lies beneath.
There is significant concern that the dust that is kicked up from the surface would be toxic to humans. While astronauts would not be walking around on the surface without the protection of space suites, it is till possible that different instruments and the suits themselves can become contaminated by the dust.
Then when the astronauts return to their habitat they would carry along with them the dust, possibly then contaminating the entire living area, threatening the mission.
Related to this problem is the massive dust storms that can reek havoc on the surface. It is unclear how damaging these dusty winds can be to the integrity to hardware that astronauts would need to establish living quarters on the surface.
There is also the issue of radiation. Because of the thin atmosphere of the planet and relatively weak magnetic field, there is little protection from the harmful effects of the Sun's solar-wind. This is one of the major stumbling blocks for any long term mission beyond Earth's magnetosphere.
But to get a better understanding of the environment on Mars, Curiosity will be taking radiation measurements on the surface be gauge any potential radiation threats to life.
Curiosity was designed to execute a two year scientific mission, but like previous mission to Mars will likely survive long after this and will continue to provide scientific understanding for many years to come.

Getting to Mars

Because of the immense size, especially compared to its predecessors, of Curiosity, a new insertion method was developed for safely landing the rover on the surface of Mars.
Launched aboard a Atlas V rocket, Curiosity was sent on a one way, 352-million mile journey to Mars on November 26, 2011.
In the past a series of airbags were used to cushion the landing of the rover as it descended upon the surface of the planet. But because of the 1 ton mass and large volume, this type of landing was prohibited.
Instead, part of the vehicle bringing the rover to the surface employs a rocket-powered descent stage. The rover will be lowered on tethers while the rocket engines control the descent speed.


Monday, June 4, 2012

શુક્ર પારગમન એક વિરલ ખગોળિય ઘટના નરેન્દ્ર ગોર સાગર દ્વારા


પ્રસ્તાવના:
          દૂરબીનની શોધ બાદ થનાર આઠમું અને માનવ જાતિ દ્વારા નિરીક્ષણ થનાર સાતમું શુક્ર પારગમન (સંક્રમણ) તા. ૦૬ જુન ૨૦૧૨ ના રોજ થનાર છે. જ્યારે શુક્ર, પૃથ્વી અને સૂર્ય સીધી લીટીમાં અને એક સમતલમાં આવે છે ત્યારે શુક્ર ગ્રહ ને સૂર્ય ઉપરથી કાળા બિંદુ સ્વરૂપે જોઈ શકાય છે આ ઘટનાને પારગમન (Transit) કહેવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોવા જઈએ તો સૂર્ય મંડળના વિસ્તાર, કદ અને અંતર બાબતે આપણી જાણકારી વધારવામાં શુક્ર પારગમનની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી છે. આ ઘટના સંપૂર્ણ સૂર્ય ગ્રહણ જેવી કદાચ ભવ્ય ન લાગે પણ અતિ દુર્લભ ખગોળીય ઘટના હોવાને કારણે ખગોળ વિજ્ઞાનીઓ તેમજ આમ જનતા માટે આ ઘટના અતિ મહત્વની છે. આઠ વર્ષ બાદ થતી આ ઘટના હવે પછી ૧૦૫ વર્ષ બાદ એટલે કે ઈ.સ. ૨૧૧૭ માં જોવા મળશે! આમ દુનિયામાં હાલ  જીવિત મનુષ્યો માટે આ પારગમન જોવાની છેલ્લી તક ગણી શકાય. આ લેખમાં શુક્ર પારગમનનો ઈતિહાસ, તેનું વૈજ્ઞાનિક મહત્વ, સૌન્દર્યની દેવી શુક્રની કેટલીક જાણી અજાણી વાતો, પારગમનના નિરીક્ષણ  બાબતે રાખવાની સાવધાનીની વાત કરવામાં આવી છે. જે આપના અખબાર, ટીવી ચેનલમાં જાહેર જનતામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે યોગ્ય પ્રસિદ્ધિ આપવા વિનંતી છે. આ બાબતે વિશેષ માહિતિ માર્ગદર્શન માટે 9428220472 ઉપર ક્લબનો સંપર્ક સાધવા વિનંતી છે. 
          શુક્ર પારગમનની વિરલ ખગોળિય ઘટનાને લોકો સારી રીતે માણી શકે તથા તે દ્વારા સમાજમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગ્રુતિ આવે તે માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર દ્વારા યોજાયેલ રાષ્ટિય કક્ષાની તજજ્ઞોમાટેની તાલિમમાં ઉદયપુર ખાતે ક્લબના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ ગોર તથા બેંગલોર ખાતે ક્લબના મંત્રી નાનજીભાઈ જાજાણી એ ભાગ લીધો હતો. જેના અનુસંધાને કચ્છમાં 15થી વધારે કાર્યશાળામાં 1500થી વધારે વિધ્યાર્થીઓ તથા શિક્ષકોને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગુજ્કોસ્ટ દ્વારા અમદાવાદના સાયંસ સીટી ખાતે રાજ્યના લોક વિજ્ઞાન કેન્દ્રો માટે યોજાયેલ ખાસ કાર્યશાળામાં ક્લબના શ્રી નરેન્દ્ર ગોરે તજજ્ઞ તરીકે ભાગ લીધેલ છે. તા.૨૬ મે ના રોજ પાલનપુર લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે પણ સેવા આપેલ છે.
શુક્ર પારગમન ઇતિહાસમાં:
          ઈ.સ. પૂર્વે ૧૬૦૦ની આસપાસ બેબીલોનીયન શિલાલેખો માં પારગમન બાબતે આછડતો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ તેની કોઈ સ્પષ્ટ નોંઘ પ્રાપ્ત થઇ શકી નથી. એમ કહેવું અસ્થાને નહીં ગણાય કે ગેલીલીઓ ગેલિલિ વિશ્વનો પ્રથમ માનવી હતો કે જેણે તેના દૂરબીનમાંથી ઈ.સ. ૧૬૦૯-૧૦ માં શુક્રને એક પ્રકાશિત ગોળા કરતાં કંઇક વિશેષ સ્વરૂપે જોયું. તે વખતે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી જોહાનસ કેપ્લર તે સમયની સ્થાપિત પૃથ્વીકેન્દ્રી સુર્યમાળાના સિદ્ધાંત સામે પોતાની શોધ રજુ કરી રહ્યો હતો. તેણે આગાહી કરી હતી કે 6 ડીસેમ્બર 1631ના રોજ શુક્ર ગ્રહ સૂર્ય બિંબ ઉપરથી પસાર થશે. પરંતુ કમનશીબે આ ઘટના યુરોપમાં ક્યાંય પણ જોવા મળી નહીં. શુક્ર પારગમનનું સૌ પ્રથમ વખત નિરિક્ષણ કરનાર બ્રિટીશ ખગોળશાસ્ત્રી જેરેમિયાહ્ હોર્રોક્સ અને તેનો મિત્ર વિલિયમ કેબ્ટ્રી હતા. આ પારગમન વિશ્વનું પ્રથમ પારગમન હતું જેની અગાઉથી ગણતરી કરી આગાહી કરવામાં આવી હતી તથા તેની નોંધ રાખવામાં આવી હતી. હોર્રોક્સે કેપ્લર કરતાં સચોટ ગણતરી કરી હતી.
          પારગમનની મદદથી આપણી સૂર્યમાળાનું કદ તથા પૃથ્વી-શુક્ર-સૂર્ય વચ્ચેનું અંતર વિસ્થાપનાભાસની મદદથી જાણી શકાય છે તેમ જ્યારે એડમંડ હેલી અને અન્ય વૈજ્ઞાનિકોએ સુચવ્યું ત્યારે આવનારા પારગમન માટે વૈજ્ઞાનિકોની સાથે સાથે લોકોની પણ ઉત્સુકતા ખુબ વધી ગઈ. 05 જુન 1761 ના દિવસે થયેલ પારગમનને દુનિયાભરના 176 વૈજ્ઞાનિકોએ નિરિક્ષણ કર્યુ. રશીયન ખગોળશાસ્ત્રી મીખાઈલ લોમોનોસોવે વિચિત્ર બાબતની નોંધ કરી. શુક્રની કાળી વર્તુળાકાર સપાટીની આસપાસ તેણે સુંદર તેજોમય વર્તુળ જોયું..... આવું વર્તુળ તો જ જોવા મળે જો શુક્રને વાતાવરણ હોય.
          03 જુન 1769 ના પારગમન વખતે વૈજ્ઞાનિકોએ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના અભિયાનોનું આયોજન કર્યું હતું. જેમાં જેમ્સ કૂક, ક્રિસ્ટિયન મેયર તેમજ અન્ય વૈજ્ઞાનિકોએ જુદા જુદા નવ સ્થળોએથી નિરિક્ષણ કર્યું. જેમ્સ કુકે તાહિતી ટાપુના જે ભાગ ઉપરથી નિરિક્ષણ કર્યું તે સ્થળ આજે પણ “વિનસ પોઈંટ” તરીકે ઓળખાય છે. ફ્રાંસનો ખગોળશાસ્ત્રી લી જેન્ટીલ કે જે ભારતના પોંડિચેરી ખાતે નિરિક્ષણ કરવા આવેલ તેણે 1761નું તેમજ 1769નું પારગમન જોવાની તક ગુમાવી હતી. જેમ્સ કુક અને તેના મિત્રોએ વળતા પ્રવાસ દરમિયાન ન્યુઝીલેંડની શોધ કરી તથા ઓસ્ટ્રેલિયાના અજાણ્યા તટ પ્રદેશોની શોધ કરી આમ શુક્ર પારગમનના પ્રવાસથી જેમ્સ કૂક વિશ્વ વિખ્યાત સાહસિક સાગર ખેડૂ તરીકે જાણીતો બની ગયો.
          09 ડિસેમ્બર 1874ના થયેલા શુક્ર પારગમનને ભારતમાં ઓરીસ્સાના શ્રી ચન્દ્રશેખર સામંતે તથા દક્ષીણ ભારતના ખગોળવિદ્ શાસ્ત્રી રઘુનાથચારીએ નિરિક્ષણ કર્યું તથા તેનો અહેવાલ પ્રકશિત કર્યો હતો. 06 ડીસેમ્બર 1882ના પારગમન વખતે દુનિયાભરના હજારો લોકોએ તેનું નિરિક્ષણ કર્યુ હતું તથા આ ઘટનાએ  વર્તમાનપત્રોમાં પ્રથમ પાને સ્થાન મેળવ્યું હતું આધુનિક સાધનો દ્વારા તેનું નિરિક્ષણ તથા ફોટાઓ પાડવામાં આવ્યા હતા. આ પારગમન વખતે એકઠા થયેલા આંકડાઓનું વિશ્લેષણ દ્વારા સિમોંસ ન્યુકોમ્બનું માપ અસ્તિત્વમાં આવ્યું. આ માપ એ સૂર્ય અને પ્રથ્વી વચ્ચેનું અંતર છે. જે 9,27,02,000 માઈલ (14,91,89,407 કિ.મી.) છે. આ માપને ઇંટરનેશનલ સાયન્ટીફીક કોમ્યુનીટીએ માન્ય રાખ્યું અને આજે પાઠ્યપુસ્તકોમાં આ અંતરને એક એસ્ટોનોમીકલ યુનિટ (AU) તરીકે ભણાવવામાં આવે છે.
          8 જુન 2004 ના રોજ થયેલ શુક્ર પારગમન વખતે પુરી દુનિયામાં ખુબ ઉત્સાહ હતો કેમકે તે વખતે દુનિયામાં એક પણ જીવિત વ્યક્તિ એવી ન હતી કે જેણે આ પારગમન પોતાની આંખે જોયું હોય. કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજ ખાતે ઇન્દ્રાબાઈ કન્યા વિધ્યાલયમાં જાહેર જનતા માટે અવલોકનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ભુજ વાસીઓ ઉમટી પડ્યા હતા.
સોહામણો ગ્રહ શુક્ર
          પૌરાણીક ગ્રંથોમાં દાનવોના ગુરૂ શુક્રાચાર્યના નામથી ઓળખાતા શુક્ર ગ્રહનું પ્રાચિન સભ્યતાઓમાં અનેરૂં સ્થાન છે. દેવો અને દાનવો વચ્ચે થતી લડાઈ દરમ્યાન જે દાનવો મરણ પામતા તેમને શુક્રાચાર્ય ફરી થી જીવંત બનાવી દેતા. તેમની પાસે સંજીવની વિદ્યા હતી. ક્યારેક સવારે તો ક્યારેક સાંજે ખુબ જ પ્રકાશિત દેખાતા શુક્ર ગ્રહને પ્રભાત તારો કે સાંધ્ય તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન રોમના લોકો આ બન્ને અલગ અલગ તારાઓ છે તેમ માનતા. ઇજીપ્તના લોકો તેને ખરાબ ગ્રહ તરીકે ઓળખતા! કેમ કે સૂર્ય ભગવાનના રથથી તે આગળ ચાલતો હતો ગ્રીક સંસ્કૃતિમાં તે સૌંદર્યની દેવી વીનસ તરીકે પ્રખ્યાત છે. હાથમાં અરીસો લીધેલી દેવી તરીકે તેના સુંદર ચિત્રો યુરોપીયન સ્થાપત્યોમાં હજી પણ જોવા મળે છે. શુક્ર ગ્રહ સ્ત્રી જાતીનું પ્રતિનિધિત્વ કરતો હોય તેમ શુક્ર ગ્રહ ઉપર જેટલા પણ મેદાનો, પહાડો, ખીણોનું જે નામ કરણ કરવામાં આવ્યું છે. તે તમામ પ્રદેશો કોઇ ને કોઈ પૌરાણીક, ઐતિહાસીક કે પ્રસિધ્ધ મહિલાઓ કે દેવીના નામો આપવામાં આવ્યા છે. જેમાં એક વિસ્તારનું નામ વિષ્ણું પત્ની લક્ષ્મીના નામે પણ ઓળખાય છે. શુક્ર ગ્રહ ઉપર એક માત્ર પુરુષનામ મેક્સવેલના નામે ઓળખાતો પર્વત છે.
શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડીયો ગ્રહ (સિસ્ટર પ્લેનેટ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પૃથ્વી સાથેની કેટલીક સમાનતા અને કેટલીક લાક્ષણીકતાઓ ખુબ નોંધપાત્ર છે. દૂરબીન અને ટેલીસ્કોપની શોધ બાદ શુક્ર ગ્રહનું નિરિક્ષણ વિસ્મયકારક અને રોમાંચક હતું. આંતરિક ગ્રહ હોવાને કારણે, ચંદ્રની જેમ તેની કળાઓ ખુબ સુંદર દેખાય છે પરંતુ ખુબ શક્તિશાળી ટેલીસ્કોપથી નિરિક્ષણ કરવા છતાં તેની સપાટીનું નિરિક્ષણ કરવામાં ખગોળશાસ્ત્રી ઓ નિષ્ફળ રહ્યા. શુક્ર પારગમન વખતે શુક્ર ગ્રહને વાતાવરણ છે તેની પુષ્ટી મળી. શુક્ર ગ્રહ તમામ ગ્રહોમાં સૌથી વધુ ચમકતો છે. તે ચમક તેના ઘટ્ટ વાતાવરણને કારણે છે. તેના ઘટ્ટ વાતાવરણમાં 96% કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફ્યુરીક એસિડ હોવાથી મોટા ભાગના સૂર્યપ્રકાશનું તે પરાવર્તન કરતો હોવાથી વધુ પ્રકાશીત દેખાય છે. ગ્રીન હાઉસ ઈફેક્ટને કારણે તેનું ઉષ્ણતામાન 480˚ સેંટીગ્રેડ છે. જે તેને સૂર્યમાળામાં સૌથી ગરમ ગ્રહ તરીકેનું બિરૂદ અપાવે છે.        તેના ઉપર સીસું પણ ઓગળી જાય તેટલી ગરમી છે. તેનું કદ પૃથ્વીના કદની નજીક છે. પરંતુ તેની કેટલીક લાક્ષણીકતાઓ તેને પૃથ્વીથી તેમજ અન્ય ગ્રહોથી અલગ તારવે છે. આ ગ્રહ ઉલટો ફરે છે. આને પરિણામે શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે. તે અન્ય ગ્રહોની સરખામણીએ પોતાની ધરી ઉપર અતિશય ધીમી ગતી એ ફરતો હોઈ તેની ધરી ભ્રમણનો સમય પૃથ્વીના 243 દિવસ જેટલો છે જ્યારે સૂર્ય ફરતે પરિક્રમણનો સમય પૃથ્વીના 225 દિવસ જેટલો છે. આમ શુક્ર ઉપરનો દિવસ તેના વર્ષ કરતાં પણ મોટો છે.
શુક્ર પારગમન જોતી વખતે રાખવાની સાવધાની
          સૂર્ય સામે નરી આંખે ક્યારેય જોવું નહીં. દુરબીન કે ટેલિસ્કોપથી પણ સૂર્ય સામે જોવું નહીં. પાણીમાં પ્રતિબિંબ મેળવીને કે કાચ ઉપર મેશ લગવીને કે એક્ષ રે, કેમેરાના રોલની મદદથી પારગમન જોવાથી આંખોને નુકશાન થઈ શકે છે.યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરેલ ચશ્માની મદદથી, 16 નંબરના વેલ્ડીંગ ગ્લાસની મદદથી સૂર્યનું અવલોકન કરી શકાય, અવલોકન કરતી વખતે પણ લાંબો વખત સૂર્ય સામે જોવું નહીં થોડી થોડી વારે આંખોને આરામ આપવો જોઈએ. સૌથી સલામત રીત સૂર્યનું પ્રતિબિંબ મેળવી અવલોકન કરવાની રીત છે. પીન હોલની મદદથી, દૂરબીન કે ટેલીસ્કોપની મદદથી સૂર્યનું પ્રતિબિંબ સફેદ કાગળ કે દિવાલ ઉપર મેળવી સારી રીતે અવલોકન કરી શકાય છે. આંખમાં બળતરા થાય, અચાનક ઝાંખું દેખાય જેવા કિસ્સામાં તાત્કાલિક આંખના નિષ્ણાત તબિબનો સંપર્ક સાધવો જોઈએ.
          શુક્ર પારગમનની ઘટના ભારતિય સમય પ્રમાણે વહેલી સવારે 03.39 કલાકે શરૂ થશે. આથી પારગમનના પ્રથમ બે તબક્કા ભારતમાં જોવા મળશે નહીં સૂર્યનો ઉદય થશે ત્યારે શુક્ર ગ્રહ સૂર્યની તકતી ઉપર આવી ગયો હશે આમ સૂર્યોદયનું દ્રશ્ય ખુબ મનોહર હશે. આ માટે જ્યાં પૂર્વ દિશા ખુલી હોય તેવું કોઈ ઊંચું સ્થાન નિરિક્ષણ માટે પસંદ કરવું જોઈએ. ભુજ વાસીઓ માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ તરફ્થી તારીખ ૬-જુન ના સવારે સૂર્યોદયથી 07.30 કલાક સુધી સુરલભિટ્ટની ટેકરી ઉપર તથા ત્યાર બાદ સવારે 8.00 થી 10.30 સુધી ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમિયાન લોકોને તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સૂર્યમાળાના રહસ્યો સમજાવવા માટે કેટલાક પ્રયોગો, નિદર્શન તથા ફિલ્મ દર્શાવવાનું આયોજન પણ ક્લબ તરફથી કરવામાં આવેલ છે. કચ્છમાં વિવિધ સ્થળોએ જેવાકે નલીયા-  કિશનભાઈ નિઝાર 9428683287, નખત્રણા- પ્રવીણ બગ્ગા 9825895108, અંજાર - પ્રતાપ સેવક 9974650814, રાપર - દિનેશ પંચાલ-9925547242, કુકમા - ઉમેશ ચૌહાણ ૮૪૬૦૪૭૩૦૯૨ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બાબતે વિશેષ માહિતિ માર્ગદર્શન માટે 9428220472 ઉપર ક્લબનો સંપર્ક સાધવા આથી જણાવવામાં આવે છે.
શુક્ર પારગમનનો ઈતિહાસ તથા ગુજરાતના વિવિધ સ્થળોના સૂર્યોદયનો સમય દર્શાવતો કોઠો
ક્રમાંક
વર્ષ
તારીખ
નિરિક્ષક
શહેરનું નામ
સૂર્યોદયનો સમય
1
1631
07 ડિસેમ્બર
કોઈ નહીં
અમદાવાદ
૦૫ ક. ૪૫ મિ.
2
1639
04 ડિસેમ્બર
જેરેમિયાહ્ હોર્રોક્સ અને  વિલિયમ કેબ્ટ્રી
રાજકોટ
૦૫ ક. ૦૩ મિ.        
3
1761
06 જુન
મીખાઈલ લોમોનોસોવ તથા અન્ય
જામનગર
૦૬ ક. ૦૫ મિ.
4
1769
03 જુન
જેમ્સ કૂક, ક્રિસ્ટિયન મેયર,સર બૈંક્સ, તેમજ અન્ય
ભાવનગર
૦૫ ક. ૫૯ મિ.
5
1874
09 ડિસેમ્બર
ચન્દ્રશેખર સામંત, શાસ્ત્રી રગુનાથ ચારી, એમિલ બેકર,
જૂનાગઢ
૦૬ ક. ૦૬ મિ.
6
1882
06 ડિસેમ્બર
હજારો લોકો
ભુજ       
૦૬ ક ૦૪ મિ.
7
2004
08 જુન
લાખો લોકો
પાલનપુર 
૦૫ ક. 51 મિ.
8
2012
06 જુન   
કરોડો લોકો?
વડોદરા   
૦૫ ક. ૫૧ મિ.

Shukra Pargaman Important Address by Shri Narendra Modi C.M. Gujarat